|
અમરેલી જિલ્લો અગાઉ બરોડા રાજયમાં હતો જે તા.૧.૮.૧૯૪૯થી મુંબઇ રાજયમાં વિલીન થયા બાદ ૧લી મે.૧૯૬૦ ના રોજ ગુજરાત રાજયની અલગ રચના થતાં રાજયના ચોથા નંબરના જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવતાં અમરેલી જિલ્લો સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલ છે. અમરેલી જિલ્લો પોલીસ અધીક્ષકશ્રી કક્ષાના અધિકારી હસ્તક છે. હાલમાં શ્રી હિમકર સિંહ પોલીસ અધીક્ષક તરીકે ફરજ બજાવે છે.
ભૌગોલિક દ્રષ્ટિએ
- જિલ્લાનું ક્ષેત્રફળ -- ૬૭૬૦.૯ ચો.કિમી
- હાલની વસ્તી – ૧૫,૧૩,૬૧૪
- તાલુકાની સંખ્યા -- ૧૧
- દરિયાકિનારો -- રાજુલા અને જાફરાબાદ તાલુકો દરિયાકિનારા નજીક આવેલ છે.
- જિલ્લાના કુલ પો. સ્ટે. – ૨૨
- આઉટપોસ્ટની સંખ્યા – ૧૯
- ચોકી – ૬
અમરેલી જિલ્લા ખાતે જિલ્લા પોલીસતંત્રમાં ૧ પોલીસ અધીક્ષક, ૪ નાયબ પોલીસ અધીક્ષક જેમાં જિલ્લાના ર ડિવિઝન અમરેલી અને સાવરકુંડલા આવેલાં છે બન્ને ડિવિઝન નીચે ર+ર સી.પી.આઈ.આવેલાં છે અને અમરેલી ડિવિઝન નીચે કુલ - ૯ પોલીસ સ્ટેશન તથા સાવરકુંડલા ડિવિઝન નીચે કુલ- ૧૨ પોલીસ સ્ટેશન આવેલાં છે.
|
|